Medical Assistance
Medical Benefit Scheme - Digamber Jain Kutumb Suraksha Yojna
આર્થિક મેડીકલ સહાય યોજનાના નિયમો
૧) આ સહાય દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા સભ્યો પૂરતી મર્યાદીત રહેશે. તેમજ તેમા જોડાવવું ફરજીયાત રહેશે. નવા સભ્ય બન્નાર સભ્યોને, સભ્ય બન્યાની તારીખથી ૩ વર્ષ પછી જ આ યોજનાનો લાભ મળી શકશેમ પરતું તે દરમ્યાન થયેલા મેડીક્લૅમ અંગેનો ફાળો રુ. ૨૦ ક્લૅઈમ દીઠ આપવાનો રહેશે.
૨) નીચેના રોગો માટે મેડીકલ સહાય મળી શકશે.
- મેજર ઓપન હાર્ટ સર્જરી, બાયપાસ સર્જરી, એંજીયોપ્લસ્ટી તથા હ્રદયના વાલ્વની સર્જરી
- બ્રેઈન સર્જરી, ન્યુરો સર્જરી
- અવયવોનુ પ્રત્યારોપન જેમ કે કીડની ટ્રાન્સપ્લાન્ટ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ
- કેન્સર
- I.C.U. Admitted Patient, who is on life support equipment i.e ventilator.
૩) જે તે રોગ માટે એક વાર સહાય લીધા પછી તે જ રોગ માટે ૫ વર્ષ સુધી બીજીવાર મેડીકલ સહાય મળશે નહી. એક જ સભ્યને તેના જીવનમા વધુમા વધુ ૩ જ વાર મેડીકલ સહાય મળી શકશે.
૪) મેડીકલ સહાય અંગેની અરજી સંસ્થાના નિયત કરેલા ફોર્મમા હોસ્પિટલથી રજા આપ્યાના ૩૦ દિવસની અંદર કરવાની રહેશે. અરજી સાથે બીલોની કૉપી તથા હોસ્પિટલના રીપોર્ટની કૉપી ઉપર સંસ્થાના લોકલ કાર્યકર્તાની સહી કરાવી બીડવાની રહેશે. જો જરુર જણાય તો સંસ્થા ઓરિજીનલ બીલ તથા હોસ્પિટલના રીપોર્ટ ચેક કરાવવા માટે રજૂ કરવાના રહેશે. જે કમિટિ ચેક કરી સભ્યને પરત કરશે.
૫) મેડીકલ સહાય અંગેનો નિર્ણય નક્કી કરેલી કમિટિ કરશે, જે સર્વેને બંધનકર્તા રહેશે.
૬) મેડીકલ સહાય સંસ્થા તરફથી આપવામા આવતી સહાયના વધારાના લાભ તરીકે ગણાશે. જો કોઈ પણ કારણ અનુસાર આ સંસ્થાના મૂળ હેતુને આંચ આવે તેવુ જણાશે તો આ વધારાના લાભ આપવાનું જનરલ સભાની મજૂરીથી બંધ કરી શકાશે.
૭) આ શુભ કાર્યનુ સંચાલન કરતા જ્યાં જ્યાં ક્ષતિ જણાશે અને સારા સૂચનો હશે તેના ઉપર વિચાર કરી નક્કી કરેલી કમિટિ, કરોબારી તથા જનરલ સભની મંજૂરીથી ફેરફાર કરી શકાશે. જે સર્વેને બંધનકર્તા રહેશે.
૮) મેડીકલ સહાય યોજનાના અનુસંઅધાનમાં મેડીક્લૅમ મૂકનાર સભ્યને પ્રત્યેક મેડીક્લૅમ દીઠ રુ ૨૦ સંસ્થાને આપવાના રહેશે. જે મરણ દીઠ રુ ૧૦૦ ઉઘરાવવામા આવે છે તે જ રીતે મેડીકલ સહાયનો ફાળો ઉઘરાવવામા આવશે. મેડીકલ સહાયનો ફાળો ઉઘરાવવાની રકમ કારોબારી નક્કી કરશે.
૯) જો કોઇ સભ્ય મેડીકલ સહાયના યોજના પેટેનૉ ફાળો નિયત સમયમાં ના ભરે તો દંડ સાથે ભરવાનો રહેશે. રજિસ્ટર એ. ડી. થી જાણ કર્યાના ૩૦ દિવસની અંદર ન ભરનાર સભ્યનું દિગમ્બર જૈન કુટુમ્બ સુરક્ષા યોજનાનું સભ્યપદ રદ કરવામાં આવશે.
૧૦) જો કોઇ સભ્ય ઉપરોક્ત રોગોની સારવાર દરમ્યાન મૃત્યુ પામે અને સારવાર દરમ્યાન ખર્ચ રુ ૫૦,૦૦૦થી વધુ હશે તો તેના નોમીનીને નિયમ અનુસાર મેડીકલ સહાય મળશે. તેમજ મૃત્યુ સામે મળતી સહાય પણ મળશે.
૧૨) જનરલ સભામાં નક્કી કરેલી મેડીકલ કમિટિના સભ્યો.
- ડૉ. કમલેશભાઈ એસ. શાહ
- ડૉ. રાકેશ બી. શાહ
- મનુભાઇ આર. ગાંધી
- શૈલેષભાઇ એ. શાહ
- વિનોદભાઇ પી. શાહ